મહેસાણા: વિસનગર ખાતે 100થી વધુ ઓક્સિજન મશીન અર્પણ કરાયા
Live TV
-
કોવિડની સારવાર લેતા દર્દીઓને પ્રાણવાયુની જરૂરિયાત પૂરી પાડવા મહેસાણામાં 100થી વધુ ઓક્સિજન મશીનો અર્પણ કર્યા
મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે કોરોના મહામારી સમયે કોવિડ અને પોસ્ટ કોવિડની સારવાર લેતા દર્દીઓને પ્રાણવાયુની જરૂરિયાત પૂરી પાડવા સરકારની સાથે સેવાભાવી સંસ્થાઓ અને લોકો આગળ આવી રહ્યા છે.
કોવિડ મહામારી વચ્ચે અમેરિકામાં રહેતા મૂળ ભારતીય એવા ડૉ. જસવંતકુમાર પટેલ અને ઇલાબેન પટેલ દ્વારા માતૃભૂમિને આરોગ્યલક્ષી સેવામાં મદદરૂપ થવા 100 થી વધુ ઓક્સિજન મશીન અર્પણ કરવામાં આવ્યા હતા. વિસનગર ખાતેના ડૉ. વસુદેવ રાવલ, ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને દાન આપનારના સ્વજન સહિતના લોકોની હાજરીમાં આ મશીન જરૂરિયાતમંદ લાભાર્થીઓના સ્વજનોને અર્પણ કરાયા હતા. લાભાર્થીઓએ આ સેવાકાર્યમાં જોડાયેલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
