મહેસાણા: હોમિયોપેથીક ફ્રી સર્વરોગ અને દંતરોગ નિદાન કેમ્પ યોજાઈ ગયો
Live TV
-
કેમ્પમાં સ્ત્રી રોગ નિષ્ણાંત, ફીઝીશિયન, બાળકોના ડૉક્ટર, સર્જરી, દંતરોગ તજજ્ઞની ટીમ તથા હોમિયોપેથીક તજજ્ઞ ડૉક્ટરોની ટીમ દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.
મહેસાણા જિલ્લાનાં વિસનગર સ્થિત નૂતન હોમિયોપેથીક જનરલ હોસ્પિટલ અને નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા હોમિયોપેથી પદ્ધતી દ્વારા ફ્રી સર્વરોગ અને દંતરોગ નિદાન કેમ્પ નૂતન હોમિયોપેથીક જનરલ હોસ્પિટલ ખાતે યોજવામાં આવ્યો હતો. આજના સમયમાં લોકો રોગ સામે રક્ષણ અને રાહત મેળવવા યુનાની, હોમિયોપેથીક અને આયુર્વેદ સારવાર તરફ આગળ વધ્યા છે. આ ફ્રી નિદાન કેમ્પનો વિસનગર અને આજુબાજુના ગામોનાં 600 કરતા વધુ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં સ્ત્રી રોગ નિષ્ણાંત, ફીઝીશિયન, બાળકોના ડૉક્ટર, સર્જરી, દંતરોગ તજજ્ઞની ટીમ તથા હોમિયોપેથી તજજ્ઞ ડૉક્ટરોની ટીમે દર્દીઓની સારવાર કરી હતી.
