મોરબીમાં ભવાઇ જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા
Live TV
-
મોરબીમાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભવાઇના પ્રથમ કાર્યક્રમની શરૂઆત થઇ હતી. જડેશ્વર મહાદેવ મંદિર અને ગૌશાળાના લાભાર્થે શિવ મંદિરમાં ભવાઇનો કાર્યક્રમ યોજાયો હતો.
મહત્વનું છે કે ભવાઇ કલા અને વારસાને જાળવી રાખતા સુપ્રસિદ્ધ હીરજી કેશવજી ભવાઇ મંડળ, વિવેકાનંદ ભવાઇ મંડળ દ્વારા ગામે ગામ જઇને દાદાના મજરા તરીકે ઉજવવાની વર્ષોથી ચાલી આવતા પરંપરા ચાલુ રાખી છે. જે અંતર્ગત ભવાઇનો કાર્યક્રમ યોજાયો હતો જેને માણવા લોકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા.
