રાજકોટમાં દીપડો ઘૂસ્યો હોવાની માત્ર અફવા, વનવિભાગે કરી સ્પષ્ટતા
Live TV
-
એક તરફ અમરેલી જિલ્લામાં માનવીઓ પર હુમલો કરનાર આતંકી દીપડો ઠાર મરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. એવામાં આજે રાજકોટ રેન્જમાં દીપડો ઘૂસ્યો હોવાની અફવા સાથે લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો.
જો કે બાદમાં રાજકોટ વન વિભાગના મદદનીશ વન સંરક્ષણ પી.ટી.શિયાણીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ રેન્જમાં દીપડો ઘૂસ્યો હોવાની માત્ર અફવા છે. લોકોએ ડરવાની કોઈ જ જરૂરિયાત નથી. વનવિભાગની ટીમ દ્વારા આ મામલે તપાસ થઈ ચૂકી છે અને જણાવવામાં આવ્યું છે કે, દીપડાના કોઈ જ સગડ મળેલ નથી.
