રાજકોટમાં સાતમ આઠમના લોકમેળાના આયોજન અંગે નિર્ણય પર થશે ચર્ચા વિચારણા
Live TV
-
રાજકોટમાં સાતમ આઠમનો લોક મેળો નહીં યોજાઈ તે પ્રકારના સમાચાર સોશિયલ મીડિયા પર હાલ વાઇરલ થઈ રહ્યા છે, પરંતુ જિલ્લા વહીવટી તંત્ર-રાજકોટ દ્વારા લોકમેળાના આયોજન અંગે કોઈ મિટિંગ હજુ યોજાઈ નથી, તેમજ હજુ સુધી લોક મેળા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.
આ અંગે આવનારા સમયમાં કોરોની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ રાજકોટ નિવાસી અધિક કલેકટર, કેતન ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું છે.
