લિંબડીમાં દિવ્યાંગોને ઉદ્યોગ સાહસિક બનાવવા 22 થી 24 જુલાઈ 3 દિવસના કાર્યક્રમનું આયોજન
Live TV
-
સમગ્ર દેશમાં દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. આ જ રીતે સુરેન્દ્રનગરના લિંબડીમાં પણ દિવ્યાંગોને ઉદ્યોગ સાહસિક અને આત્મનિર્ભર બનાવવા 22 થી 24 જુલાઈ એમ ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.લિંબડીના ફતેસિંહ જીન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દિવ્યાંગોને સર્વાંગી વિકાસ માટે વ્યવસાયલક્ષી યોજનાઓ અને ઉદ્યોગ સાહસિકતાની જાણકારી આપવામાં આવી રહી છે. તો આજે પ્રથમ દિવસે આ કાર્યક્રમમાં 35 થી વધુ દિવ્યાંગ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ કાર્યક્રમમાં સંસ્થાના ડિરેક્ટર અને આગેવાનો ખાસ હાજર રહી દિવ્યાંગોને બિરદાવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમનું આયોજન રાજ્યના સમાજ સુરક્ષા ખાતા, ગાંધીનગરના દિવ્યાંગ નાણાકીય વિકાસ નિગમ અને ભારતીય ઉદ્યમિતા સંસ્થાન અમદાવાદ અંતર્ગત સાયલાના આશિર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું
