રાજ્યમાં સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં તીડનો ત્રાસ વધતા ખેડૂતોની મુશ્કેલી વધી
Live TV
-
બનાસકાંઠા બાદ ,સૌરાષ્ટ્રમાં પણ, તીડનો ત્રાસ વધી રહ્યો છે. જામનગરમાં તીડના આક્રમણની શક્યતા જોવાઈ રહી છે. જામનગર કલેક્ટર રવિ શંકરે જણાવ્યું હતું કે આફ્રિકાથી તીડનું એક મોટુ ઝુંડ ગુજરાત તરફ આવી રહ્યું છે અને આનાથી જામનગર દેવ ભુમિ દ્વારકા, અને પોરબંદર જિલ્લાને ,નુકસાન પહોંચી શકે છે. તેમણે વધુમાં ખેડૂતોને જો તીડ જોવા મળે તો કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરી હતી.
