રાષ્ટ્રને સમર્પિત અને ભારતના સાંસ્કૃતિક એમ્બેસેડર અંજલિબેન પંડ્યાનું નિધન
Live TV
-
રાષ્ટ્રને સમર્પિત અને હિન્દુ સભ્યતા તેમજ રાષ્ટ્રવાદની ભાવનાને પ્રોત્સાહન આપનાર અંજલિબેન પંડ્યાનું દુઃખદ અવસાન
રાષ્ટ્રને સમર્પિત અને હિન્દુ સભ્યતા તેમજ રાષ્ટ્રવાદની ભાવનાને પ્રોત્સાહન આપનાર અંજલિબેન પંડ્યાનું દુઃખદ અવસાન થતાં ભાજપના અગ્રણી નેતાઓ દ્વારા શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. તેમણે હિન્દુ સભ્યતા અને રાષ્ટ્રવાદ માટે સમગ્ર દેશમાં પ્રચાર પ્રસાર કરી પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. અંજલિબેનને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલબિહારી વાજપેયી દ્વારા ભારતના સાંસ્કૃતિક એમ્બેસેડરનું બિરૂદ આપીને સન્માનિત કર્યા હતા.
