વિદ્યાનગરઃ નેચર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા જૂના ચકલીઓના માળા શોધી રીસ્ટોર કરાયા
Live TV
-
ત્રણ દિવસ પહેલા ગુજરાતમાં આવેલ વિનાશક વાવાઝોડામાં ન માત્ર મિલક્તને અને વ્યક્તિના જાનમાલનુ નુકસાન થયું છે પરંતુ અબોલ પક્ષીઓના પણ મોટી સંખ્યામાં મોત થયા છે વાવાઝોડામાં ભારે પવનનાં કારણે અનેક વૃક્ષો ધરાશાઈ થયા અને અનેક વૃક્ષો પરનાં પક્ષીઓના માળા ઉડી ગયા ત્યારે આણંદમાં વિદ્યાનગર સ્થિત નેચર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા જુના ચકલીઓના માળા ગોતી તેને રીસ્ટોર કરી ફરીથી લગાવવાનુ શરૂ કરાયું છે, નેચર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ગયા વર્ષના જુના માળાઓ મેળવી પોતાના કેમ્પ્સ અને આસપાસનાં વિસ્તારમાં 150 જેટલા પક્ષીનાં માળા બાંધી દેવામાં આવ્યા છે અને સારી વાત એ પણ રહી કે તેમા ચકલીઓ પણ આવવા પણ લાગી છે.
