રોટરી ક્બલ અમદાવાદ મેટ્રોએ 300 થી વધુ દિવ્યાંગજનોને જયપુર ફુટથી ચાલતા કર્યા
Live TV
-
રોટરી ક્બલ અમદાવાદ મેટ્રો દ્વારા દિવ્યાંગજનોને મદદરુપ થવા માટે પ્રોસ્થેટીક લેગ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત આજે અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે 300 થી વધુ દિવ્યાંગજનોને જયપુર ફુટ ફીટ કરીને ચાલતા કરવામાં આવ્યા હતાં. નોંધનીય છે કે દિવ્યાંગો માટે જયપુર ફુટ-પ્રોસ્થેટીક લેગ ખૂબજ ઉપયોગી સાબિત થાય છે. તે તેમને આર્મનિર્ભર બનાવે છે.
આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી કે લહેરી અંધજન મંડળના સીઇઓ ભુષણ પુનાની, રોટરી ક્લબ અમદાવાદ મેટ્રોના પ્રમુખ અતુલ પરીખ સહિત રોટરી ક્લબના સભ્યો એન એસ એસના સેવાભાવિ વિદ્યાર્થીઓ અને દિવ્યાંગજનો ઉપસ્થિત રહ્યા હતા.
