લીલી પરિક્રમા બાદ અકસ્માતનો ભોગ બનનાર પરિવારને રાજ્ય સરકારની સહાય
Live TV
-
જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરી પરત ફરતા ખંભાતના પરિવારને અકસ્માત નડ્યો હતો ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારને 4 લાખ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખંભાતનો પરિવાર લીલી પરિક્રમા પૂર્ણ કરી પરત ફરી રહ્યા હતા ત્યારે વટામણ ચોકડી પાસે ગંભીર અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકો અને અન્ય એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. મૃત્યુ પામેલા પરિવારને સહાય મળે તે માટે ખંભાતના ધારાસભ્ય મયૂર રાવલે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોના વારસદારોને 4 લાખ રૂપિયાની સહાય તાત્કાલિક ચૂકવવાની જાહેરાત કરી છે.
