વડોદરા ખાતે ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શીબીરનું કરાયું આયોજન
Live TV
-
વડોદરામાં તારીત 31.07.2023ના સોમવારના રોજ બપોરે 12.00 કલાકે રોજગાર,એપ્રેન્ટીસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શીબીર યોજાશે. જેમા વડોદરા જીલ્લા અને અન્ય જીલ્લાના નોકરીદાતા હાજર રહીને 100થી વધારે ટેકનિકલ અને નોન-ટેકનીકલ જગ્યાઓ માટે ધોરણ 10 અને 12 પાસ, ITI, ડીપ્લોમા, ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા 18 થી 30 વર્ષના સ્ત્રી ,પુરુષ ઉમેદવારો માટે ઈન્ટરવ્યુ પ્રક્રીયા હાથ ધરીને રોજગારીની તકો પુરી પાડશે.
તેમજ સ્વરોજગાર માટે માર્ગદર્શન પણ આપવામાં આવશે. જેમાં લોન સહાય માટે, સંરક્ષણ ક્ષેત્રની કારકિર્દી માટે, તેમજ વિદેશ રોજગાર અને શિક્ષણની તકો અને સેફ લીગલ માઈગ્રેશન માટે માર્ગદર્શન આપવામા આવશે. તેમજ અનુબંધમ રોજગારલક્ષી પોર્ટલ અને એન.સી.એસ પોર્ટલના રોજગારી મેળવવા ઉપયોગ કરવા અંગે વિના મુલ્યે માર્ગદર્શન આવશે. તો નોકરી મેળવવા ઈચ્છતા વ્યક્તિઓએ ભરતી મેળામાં લાયકાતના પ્રમાણપત્રોની ઝરોક્ષ અને 5 બાયોડેટાની નકલો સાથે સ્વખર્ચે હાજર રહેવા રોજગાર અધિકારીએ જણાવેલ છે.
