વલસાડઃ ભાજપના ધારાસભ્યો-કાર્યકર્તાઓએ ખાદીની ખરીદી કરી
Live TV
-
2જી ઓક્ટોબરે ગાંધી જયંતી પ્રસંગે ખાદીના પ્રચાર પ્રસાર માટે પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકરો અને જનતાને ખાદીનું એક વસ્ત્ર ખરીદવા કરવા આહવાન કર્યું હતું.
તેને પગલે વલસાડ જિલ્લાના વાપી ખાતે વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ અને પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુ દેસાઈ, વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલ, વાપી શહેર ભાજપ સંગઠનના પ્રમુખ સતીશ પટેલ, નગરપાલિકાના નગર સેવકો અને ભાજપ કાર્યકરોએ ખાદી ભંડારમાં પહોંચીને ખાદીની ખરીદી કરી હતી.
આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુ દેસાઈએ જણાવ્યું હતું કે ગાંધીજી ખાદીના ઉપાસક હતાં. ખાદીનો પ્રચાર પ્રસાર થાય તો ખાદી તૈયાર કરતા પરિવારનું ગુજરાન યોગ્ય રીતે ચાલે છે. ગાંધીજીએ રોજગારીનું સર્જન થાય તે માટે ખાદીના વસ્ત્રો પહેરવા પર ભાર મુક્યો હતો.
