વીરપુર જલારામ મંદિરના દર્શનાર્થીઓએ જોવી પડશે 15 જૂન સુધી રાહ
Live TV
-
જલારામ મંદિર 15 તારીખથી દર્શન માટે ખુલશે
સોમવારથી રાજ્ય સરકાર ધાર્મિક સંસ્થાનોને નિયમો અને શરતોને આધિન દર્શનાર્થે ખોલવાની મંજૂરી આપી છે..પણ રાજકોટના વીરપુર ખાતે આવેલા યાત્રાધામ જલારામ મંદિરના ભક્તોએ દર્શન માટે રાહ જોવી પડશે. જલારામ મંદિર દ્વારા દર્શન માટેની ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. સરકારની ગાઈડલાઈનનું મંદિર દ્વારા પાલન કરાશે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝરની ખાસ વ્યવસ્થા કરાશે. ત્યારે 60 વર્ષની ઉપરના અને 10 વર્ષની નીચેના લોકોને મંદિરમાં પ્રવેશ નહીં મળે. સરકારની ગાઈડલાઈન સુધી પ્રસાદ ભોજનાલય બંધ રહેશે.
