શામળાજી ખાતે કોરોનાના કારણે કાર્તિકી પૂનમનો મેળો રદ્દ કરાયો
Live TV
-
અરવલ્લીના શામળાજી ખાતે ભરાતો કાર્તિકી પૂનમનો મેળો આ વર્ષે રદ કરવામાં આવ્યો છે. આ સાથે જ તુલસી વિવાહના તમામ કાર્યક્રમો પણ મોકૂફ રખાયા છે. ચાલુ વર્ષે કોરોના સંક્રમણના વધતા વ્યાપને કારણે આ નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે, કાર્તિકી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે ત્યારે તકેદારીના ભાગરૂપે આ મેળાને ઈતિહાસમાં પ્રથમ વખત રદ કરવામાં આવ્યો છે. જો કે મંદિરમાં ભગવાનનાં દર્શન સોશિયલ ડિસ્ટન્સ તેમજ સરકારની ગાઈડલાઈનના પાલન સાથે કરી શકાશે.
