સંતોએ પ્લાઝમા ડોનેટ કરીને દરેક માટે ઉદાહરણ પૂરું પાડ્યું
Live TV
-
કોરોના વાયરસના સંક્રમણને કારણે સ્થિતિ ગંભીર બની છે અને કરોડો લોકો તેના ભરડામાં આવ્યા છે. આ પરિસ્થિતિમાં સર્વાઇવ કેવી રીતે કરવું તે પ્રશ્ન છે. જો કે, કોરોના સંક્રમિત વ્યક્તિને પ્લાઝ્મા થેરાપીથી બચાવી શકાય છે. આવી સ્થિતિમાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી મહારાજની પ્રેરણાથી મંદિરના સંતોએ પ્લાઝમા ડોનેટ કરીને દરેક માટે ઉદાહરણરુપ બન્યા છે. સેવાના આજીવન ભેખધારી એવા સંતોએ વિચાર્યું કે, આપણાથી કોઇનો જીવ બચતો હોય તો આપણે તે કરવું જોઇએ. અને તેથી જ તેઓ તુરંત જ પ્લાઝમા ડોનેટ કરવા તૈયાર થયા હતા. કોરોના કાળમાં જ્યારે પ્લાઝમા ડોનર પણ મળવા મુશ્કેલ છે ત્યારે કોરોના મુક્ત થયેલા સંતોઓ પ્લાઝમાં અને બ્લડ ડોનેટ કરીને માનવ સેવા એજ પ્રભુ સેવા સૂત્રને ચરિતાર્થ કર્યું હતું.
