સવાયા ગુજરાતી લેખક ફાધર વાલેસનું સ્પેનમાં નિધન, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ
Live TV
-
લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર-લેખક સવાયા ગુજરાતી ફાધર વોલેસનું 95 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધન પર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શોક વ્યક્ત કર્યો હતો અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
મુખ્યમંત્રીએ શોકાંજલિ પાઠવતાં જણાવ્યું છે કે, ફાધર વાલેસ જન્મે ગુજરાતી ન હોવા છતાં ગુજરાતી ભાષા સાહિત્યમાં પોતાની લેખની અને પુસ્તકો-નિબંધ-પ્રવાસ વર્ણન દ્વારા સવાયા ગુજરાતી તરીકે એક આગવી છાપ ઉપસાવી હતી.
સદ્દગતના અવસાનથી ગુજરાતી સાહિત્ય-લેખન જગતને મોટી ખોટ પડી છે તેમ જણાવતાં મુખ્યમંત્રીએ સ્વ. ફાધર વોલેસના આત્માની પરમશાંતિની પ્રાર્થના પણ કરી છે.
