સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં 12.35 કરોડના ખર્ચે નવ નિર્મિત ભવનોનું લોકાર્પણ કરવામાં આવ્યું
Live TV
-
ગીર સોમનાથ જિલ્લામાં આવેલા વેરાવળ ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં 12.35 કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવ નિર્મિત ભવનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ભવનોમાં કન્યા છાત્રાલય, કુલસચિવ નિવાસ અને યોગ ભવનનો સમાવેશ થાય છે. સાંસદ રાજેશ ચૂડાસમા તેમજ BAPSના વરિષ્ઠ સંત ભદ્રેશ સ્વામીના હસ્તે નવનિર્મિત ભવનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ પ્રસંગે પ્રદેશ ભાજપના મંત્રી, જિલ્લા ભાજપના પ્રમુખ, અને નગરપાલિકા પ્રમુખ સહિત, આગેવાનો , યુનિવર્સિટીના અધિકારીગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
