"હર ઘર તિરંગા"ના સુદ્રઢ આયોજન આજે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં યોજાશે બેઠક
Live TV
-
"હર ઘર તિરંગા"ના સુદ્રઢ આયોજન માટે ભાવનગર કલેકટર કચેરી ખાતે આજે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં સાંસદ, ધારાસભ્યો, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી, પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. મંત્રી જીતુ વાઘાણી આ બેઠકમાં સૌ આગેવાનોને આ માટે જરૂરી વ્યવસ્થા માટે માર્ગદર્શન આપશે. ભાવનગર જિલ્લાના તમામ ઘરો, દુકાનો, ઔદ્યોગિક સ્થળો, વેપારી ગૃહો, સરકારી- ખાનગી કચેરીઓ, ઓફિસો, શાળા-કોલેજ, આંગણવાડીઓ, સહકારી સંસ્થાઓ સહિત તમામ સાર્વજનિક સ્થળો પર 13 ઓગસ્ટના રોજ સવારે તિરંગો ફરકાવવામાં આવશે. જે 15 ઓગસ્ટે સાંજે માનભેર ઉતારવામાં આવશે.
