હાલોલઃ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વર પરમાર દ્વારા આદર્શ નિવાસી શાળાનું લોકાર્પણ
Live TV
-
પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વર પરમાર દ્વારા આદર્શ નિવાસી શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલ પાવાગઢ રોડ પર રૂ. ૬.૭૭ કરોડના ખર્ચે તૈયાર થયેલી આદર્શ નિવાસી શાળા અહીંના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વની સાબિત થશે.
૧૫૦ વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની આ કુમાર શાળામાં ધોરણ ૯ થી ૧૨ નાં વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવા સહિતની તમામ અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી છે, વિકસતી જાતિના વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ મળે તે માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. કાર્યક્રમને સંબોધતા રાજ્યકક્ષાના કેબિનેટમંત્રી ઈશ્વર પરમારએ જણાવ્યું કે, આદર્શ નિવાસી શાળાઓમાં પરિણામનું સ્તર પણ ઉચ્ચ છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન એસ.એસ.સી. ના વિદ્યાર્થીઓનું પરિણામ 95.89 ટકા રહ્યું છે. જયારે એચ.એસ.સી.માં ૯૬.૯૦ ટકા પરિણામરહ્યું છે. જે નિવાસી શાળાઓની શિક્ષણની ઉચ્ચ ગુણવત્તા દર્શાવે છે.
