“આર્યભટ્ટ”લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા કોરોના જાગૃતિ અંગે પોસ્ટર પ્રદર્શનનું આયોજન
Live TV
-
ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત “આર્યભટ્ટ”લોક વિજ્ઞાનકેન્દ્ર-મોરબી દ્વારા લોકોમાં કોરોના અંગેની જાગૃતિ આવે તે હેતુથી પોસ્ટર પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ વર્તમાન પરિસ્થિતિમાં લોકો કોરોનાથી સંક્રમિત ન થાય અને કોરોના સંક્રમિતોમાં કોરોના અંગે જાગૃતિ આવે તેવા ઉદ્દેશથી આ પ્રદર્શનનું આયોજન કરાયેલ. આ પ્રદર્શન પરશુરામ કોવિડ કેર & આઇસોલેશન સેન્ટર ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં કોરોના અંગે જાગૃતિ અંગેના ૧૬ જેટલા પ્રેરક પોસ્ટર થકી પ્રેરક સંદેશ આપવામાં આવ્યો હતો.
