22મી જાન્યુઆરીએ યોજાશે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ
Live TV
-
22મી જાન્યુઆરીએ યોજાશે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ
શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તારીખ નક્કી થઈ ગઈ છે. 22મી જાન્યુઆરીના રોજ રામલલ્લા નવા બનેલ ગર્ભગૃહમાં બિરાજમાન થશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. તેની જાણકારી શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આપી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી અને તેમને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ આપ્યું. પ્રધાનમંત્રીએ પણ સોશિયલ મીડિયા પોસ્ટમાં જાણકારી આપતા કહ્યું કે આ મારું સૌભાગ્ય છે કે હું આ ઐતિહાસિક પ્રસંગનો સાક્ષી બનીશ.
