23 થી 27 નવેમ્બર પાંચ દિવસ સુધી ચાલશે ગિરનારની લીલી પરિક્રમા
Live TV
-
પ્રાચીન કાળથી ચાલી આવતી ગિરનારની લીલી પરિક્રમા આવતી 23 નવેમ્બરથી 27 નવેમ્બર પાંચ દિવસ સુધી ચાલશે. જેની તૈયારી તંત્ર દ્વારા અને સેવાકીય સંસ્થાઓ દ્વારા કરવાં આવી છે.. ગિરનાર પર્વતને ફરતે 36 કિલોમીટર રૂટ ઉપર આ પરિક્રમા કરવામાં આવે છે.. આ પરિક્રમા કરવા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.
તંત્ર અને સેવાકીય સંસ્થાઓ દ્વારા પરિક્રમાના આ રસ્તા ઉપર યાત્રિકો માટે ભોજન, પ્રસાદ, અને ઉતારાની વ્યવસ્થા કરવામાં આવ છે. પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા અને વન વિભાગ દ્વારા પણ વન્ય પ્રાણીની સુરક્ષા વ્યવસ્થા કરેલ છે. જેની માહિતી જિલ્લા કલેકટર દ્વારા પ્રેસ કોનફોરન્સ કરીને આપી હતી. અને જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિકનો કચરો ના થાય તે અંગે ખાસ ધ્યાન રાખવા અપીલ કરી હતી .
