GSEBએ ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમમાં ઘટાડો કર્યો
Live TV
-
રાજ્યમાં કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓનાં હિતમાં નિર્ણય લેતાં ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે શિક્ષણ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.
રાજ્યમાં કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓનાં હિતમાં નિર્ણય લેતાં ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે શિક્ષણ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. મહત્વનું છે કે પ્રવર્તમાન પરિસ્થિતિમાં સીબીએસઇ તેમજ અન્ય રાજ્યોનાં બોર્ડ દ્વારા અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવેલ છે. ત્યારે ગુજરાતમાં પણ વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસક્રમમાં ઘટાડો કરવાની રજૂઆત મળેલ હતી. જેને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે અભ્યાસક્રમમાંથી ઘટાડેલ મુદ્દાઓ પરીક્ષામાં પુછવામાં આવશે નહીં પરંતુ વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક હિતમાં શિક્ષકોએ આ મુદ્દાઓનું વિદ્યાર્થીઓને જ્ઞાન આપવાનું રહેશે.
