અંધશ્રદ્ધાને દૂર કરવા સ્મશાનમાં યોજાયો આતીશબાજીનો કાર્યક્રમ
Live TV
-
મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે સ્મશાનમાં આતીશબાજીનો કાર્યક્રમ યોજાયો
કાળી ચૌદસ નિમિતે લોકોમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાને દૂર કરવા માટે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે સ્મશાનમાં આતીશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો. આ આતિશબાજીના કાર્યક્રમમાં કુલ 5000થી પણ વધારે લોકો હાજર રહ્યાં હતા. જેમાં બાળકો સહીત મહિલાઓ પણ હાજર રહી હતી. આ દરમિયાન સ્મશાનગૃહને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. તો ખુબ જ સચોટ રીતે અંધશ્રદ્ધાની સમજણ પણ આપવામાં આવી હતી. આ સુંદર કાર્યક્રમનું આયોજન અંતિમ વિસામો ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.