જાણો ભારતના અગ્રગણ્ય ભૌતિકશાસ્ત્રી વૈજ્ઞાનિક અને અણુશક્તિના જનક ડૉ.હોમી જહાંગીર ભાભા
Live TV
-
ડો. હોમી ભાભાએ ભારતમાં આવીને બેંગલોરમાં સી.વી રામનના નેજા હેઠળ કૉસ્મિક રે ઇન્સ્ટિટ્યુટ ની સ્થાપના કરી
આજે ભારતના અગ્રગણ્ય ભૌતિકશાસ્ત્રી, વૈજ્ઞાનિક અને અણુશક્તિના જનક ડો. હોમી જહાંગીર ભાભાની જન્મજયંતિ છે. ડો. હોમી ભાભાને બિજા વિશ્વયુદ્ધ દરમિયાન કેમ્બ્રિજ માંથી પોતાનો અભ્યાસ છોડીને ભારતમાં પરત ફરવું પડયું હતું. અને તેમણે ભારતમાં આવીને બેંગલોરમાં સી.વી રામનના નેજા હેઠળ કૉસ્મિક રે ઇન્સ્ટિટ્યુટ ની સ્થાપના કરી. અને ભારતની આઝાદી બાદ અણુશક્તિના શાંતિમય ઉપયોગોના સંશોધન તરફ પ્રયાસો આદર્યા હતા.
૧૯૪૮ માં તેમણે એટમિક એનર્જી કમીશન ઑફ ઇન્ડીયાની સ્થાપના કરી. તેમણે આંતરરાષ્ટ્રીય અણુશક્તિ સભાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. સંયુક્ત રાષ્ટ્રની અણુશક્તિના શાંતિમય ઉપયોગોની સભાના પ્રમુખ તરીકે પણ રહ્યા હતા. ડો.હોમી ભાભાને પદ્મભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે ભાભા અણુસંશોધન કેન્દ્ર એટલે કે BARCનું નામ તેમના માનમાં રાખવામાં આવ્યું છે.