ઈસરો આજે સાંજે 5:35 કલાકે GSLV-F14 ઈનસેટ-3નું શ્રીહરિકોટાથી પ્રક્ષેપણ કરશે
Live TV
-
ઈસરો દ્વારા આજે સાંજે 5-35 કલાકે જીએસએલવી ઈનસેટ-3નું શ્રીહરિકોટા ખાતેથી પ્રક્ષેપણ કરવામાં આવશે. આ ઉપગ્રહનું લક્ષ્ય હવામાનમાં થતા ફેરફાર અને સમુદ્રમાં થતી હિલચાલને જાણવાનો છે. આ ઉપગ્રહનું લીફટ ઓફ દ્રવ્ય 400 ટન છે જીએસએલવી ત્રણ તબક્કામાં વહેચાયેલો લાંબો 51.7 મીટરનો ઉપગ્રહ છે.
આ ઉપગ્રહમાં પહેલા તબકકામાં પ્રણોદક, એસ-139 મોટર સામેલ છે બીજા તબક્કામાં પણ 40 ટન પ્રણોદક સંગ્રહિત ઉપગ્રહ છે. આ ઉપરાંત, આ ઉપગ્રહ એક ક્રાયોજેનિક તબકકાનો છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા કરવામાં આવેલા આ આયોજનમાં જે ઉપગ્રહનું પ્રક્ષેપણ કરવામાં આવશે તેના આધારે વાતાવરણ તેમજ સમુદ્રની અંદર એટલે કે તેની સપાટી પર અવારનવાર થતી હિલચાલને જાણી શકાશે.
આ ઉપગ્રહને તૈયાર કરવામાં ભારતના અનેક વૈજ્ઞાનિકોએ પોતાનો નોંધપાત્ર ફાળો આપ્યો છે.