ચંદ્રયાન 2 ચંદ્રની વધુ નજીક પહોંચ્યું, માત્ર 11 દિવસમાં રચાશે ઈતિહાસ
Live TV
-
ચંદ્રયાન 2 હવે ચંદ્રની વધુ નજીક પહોંચી ગયું છે. 30 ઑગસ્ટે ચંદ્રયાન 2ને ચંદ્રની ચોથી કક્ષામાં મોકલવામાં આવશે.
ભારતનું ચંદ્રયાન 2 ઈતિહાસ રચે તેને માત્ર 11 દિવસની વાર છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને કહ્યું કે, 28 ઑગસ્ટે ચંદ્રયાન 2 ચંદ્રની ત્રીજી કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કરશે. ચંદ્રયાન 2 બુધવારે સવારે 9.04 વાગ્યે ચંદ્રની ત્રીજી કક્ષામાં પ્રવેશ કરશે.
આગામી બે દિવસો સુધી ચંદ્રયાન આ જ કક્ષામાં ભ્રમણ કરશે. જેના બાદ 30 ઑગસ્ટે ચોથી અને 1 સપ્ટેમ્બરે ચંદ્રયાન 2 પાંચમી કક્ષામાં પ્રવેશ કરશે.