ભારતમાં ચોક્કસ પ્રકારની ખેતીને પ્રોત્સાહન આપવા ડ્રોન ટેક્નોલોજી પરવડે તેવી માર્ગદર્શિકા જાહેર કરાઈ
Live TV
-
ભારતમાં સચોટ ખેતીને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય પ્રોત્સાહન તરીકે, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે આ ક્ષેત્રના હિસ્સેદારોને ડ્રોન ટેક્નોલોજી પરવડે તેવી બનાવવા માર્ગદર્શિકા બહાર પાડી છે. કૃષિ યાંત્રિકરણના એક ભાગરૂપે માર્ગદર્શિકામાં સુધારો કરવામાં આવ્યો છે જેમાં કૃષિ ડ્રોનની કિંમતના 100 ટકા અથવા કૃષિ સંસ્થાઓને 10 લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે આપવાની પરિકલ્પના કરવામાં આવી છે.
ખેડૂતોના ખેતરોમાં આ ટેક્નોલોજીના મોટા પાયે પ્રદર્શન હાથ ધરવા માટે ફાર્મ મશીનરી તાલીમ અને પરીક્ષણ સંસ્થાઓ, ICAR સંસ્થાઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ડ્રોનની ખરીદી માટે અનુદાન પ્રદાન કરવામાં આવશે.