અમદાવાદમાં રમાનાર ભારત અને ન્યૂઝીલેન્ડ ટી-20 ની ટિકિટોનું વેચાણ કાલથી શરુ થશે
Live TV
-
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ટી20 મેચ ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમેં રમાશે. આવતીકાલથી 31 જાન્યુઆરી દરમિયાન સવારે 11 સાંજે 6 વાગ્યા સુધી મેળવી શકાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નં-1 પરથી ટિકિટની ખરીદી શકાશે. 1 ફેબ્રુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત ન્યુઝિલેન્ડ વચ્ચે ત્રીજી ટી-20 મેચ રમાશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની શ્રેણીની પ્રથમ ટી-20 મેચ 27 જાન્યુઆરી 2023 ના રોજ રાંચીના જેએસસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં રમાશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટી-20 શ્રેણી 27 જાન્યુઆરી 2023 થી શરુ થવાની છે. ટીમ ઇન્ડિયાએ વનડે શ્રેણી 3-0 થી જીતી લીધી છે. હાલ ભારતીય ટીમનો પ્રયાસ જીતને જાળવી રાખવાનો છે. ટી-20 ની ભારતીય ટીમમાં રોહીત અને કોહલીને આરામ આપીને યુવા ખિલાડીઓને મોકો આપવામાં આવશે.
