ઈન્ડિયા VS ઓસ્ટ્રેલિયા: બાકીની 2 ટેસ્ટ સીરિઝ માટે તેમજ 3 વનડે માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
Live TV
-
હાલમાં ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. જેમાં અત્યાર સુધી ચારમાંથી બે ટેસ્ટ મેચ રમાઈ ગઈ છે અને તેમાં ટીમ ઈન્ડિયાએ ૨-૦ થી લીડ મેળવી લીધી છે. ત્યારે હવે બાકીની 2 ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા કેપ્ટન હશે જ્યારે કેએલ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, કેએસ ભરત (વિકેટ કિપર), ઈશાન કિશન (વિકેટ કિપર), આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શ્રેયસ ઐયર , સૂર્યકુમાર યાદવ , ઉમેશ યાદવ , જયદેવ ઉનડકટનો સમાવેશ કરાયો છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતની ODI ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં રોહિત શર્મા (C), એસ ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઇશાન કિશન (wk), હાર્દિક પંડ્યા (VC), આર જાડેજા, કુલદીપ યાદવ, ડબલ્યુ સુંદર, વાય ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ , ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટનો સમાવેશ કરાયો છે. જોકે રોહિત શર્મા કૌટુંબિક કારણોને લઈને પ્રથમ મેચમાં નહીં રમે. જેના સ્થાને હાર્દિક પંડયાની કેપ્ટનશીપમાં મેચ રમાશે.
