ઓલિમ્પીક દિવસ નિમિત્તે PM મોદીએ એથ્લેટસને બિરદાવ્યાં
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ઓલિમ્પીક દિવસ નિમિત્તે એથ્લેટસને બિરદાવ્યાં હતાં. તેમણે ટ્વીટમાં લખ્યું કે આજે ઓલિમ્પીક દિવસે હું તે તમામને બિરદાવું છું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ઓલિમ્પીક દિવસ નિમિત્તે એથ્લેટસને બિરદાવ્યાં હતાં. તેમણે ટ્વીટમાં લખ્યું કે આજે ઓલિમ્પીક દિવસે હું તે તમામને બિરદાવું છું. જેમણે વર્ષોથી વિવિધ ઓલિમ્પીકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમજ દેશ માટે રમતમાં યોગદાન અને અન્ય એથલિટોને પ્રેરિત કરવાના તેમના પ્રયાસો ઉપર ગર્વ છે. સાથે સાથે પ્રધાનમંત્રીએ ટોકિયો-2020માં ભાગ લેનાર એથલીટોને શુભેચ્છા પાઠવી હતી. અને યુવાનોને તે સબંધીત ક્વીઝમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો હતો. તેમણે લખ્યું કે થોડા જ સપ્તાહમાં ટોકિયો-2020 શરૂ થશે. અમારી ટીમને શુભકામના જેમા અમારા શ્રેષ્ઠ એથલીટો સામેલ છે. આ રમત પહેલા MY GOV પર એક ખાસ પ્રશ્ર્નોત્તરી છે. હું યુવાનોને તેમા ભાગ લેવા આગ્રહ કરૂ છું.
https://twitter.com/narendramodi/status/1407531153007906817?s=20
