ભારતની તીરંદાજી ટીમનો તુર્કીમાં ચાલી રહેલ વિશ્વકપ તીરંદાજી સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ
Live TV
-
ભારતના અતનુ દાસ, બી. ધીરજ અને તરૂણદીપ રાયની બનેલી તીરંદાજી ટીમે તુર્કીમાં અંતાલ્યામાં ચાલી રહેલ વિશ્વકપ તીરંદાજી સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ કર્યો.
ભારતના અતનુ દાસ, બી. ધીરજ અને તરૂણદીપ રાયની બનેલી તીરંદાજી ટીમે તુર્કીમાં ચાલી રહેલ વિશ્વકપ તીરંદાજી સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. સેમિફાઇનલમાં ભારતે – નેધરલેન્ડને પરાજય આપીને ફાઈનલમાં પ્રવેશ કર્ય હતો. તેઓ આ રવિવારે રમાનારી સ્પર્ધાની ફાઈનલમાં ચીનની ટીમ સાથે રમશે. ઉલ્લેખનીય છે કે, નવ વર્ષ બાદ ભારતીય તીરંદાજીની ટીમે ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. 13 વર્ષ પહેલાં ભારતની પુરૂષોની તીરંદાજીની ટીમે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.
