ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં રમાનાર અંતિમ મુકાબલો રદ્દ
Live TV
-
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની છેલ્લી ટેસ્ટ મેચ હવે નહીં રમાય. પાંચ ટેસ્ટ મેચની સીરીઝનો અંતિમ મુકાબલો આજે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાનાર હતો. BCCI અને ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) વચ્ચે ગુરુવારે અને શુક્રવારે થયેલી લાંબા ચર્ચા બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે શુક્રવારે યોજાનાર ટેસ્ટ મેચ નહીં રમાય. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. બંને દેશો વચ્ચે રમાયેલી પાંચ મેચની શ્રેણીમાં ભારત 2-1થી સરસાઇ ધરાવે છે.
