ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી વન ડે આજે કોલકત્તાના ઇડનગાર્ડનમાં રમાશે
Live TV
-
ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી વન ડે આજે કોલકત્તાના ઇડનગાર્ડનમાં રમાશે. ગૌહાત્તીમાં ભારતની શાનદાર જીત બાદ આજે શ્રેણી ઉપર કબજો કરવા ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે જ્યારે બીજીતરફ શ્રીલંકા શ્રેણીને સરભર કરવા મરણિયા પ્રયાસ આદરશે.પહેલી મેચમાં વિરાટ કોહલીએ ચાર વર્ષ બાદ ઘરઆંગણે સદી ફટકારી હતી જ્યારે કેપ્ટન રોહિત શર્માએ પણ સારા રન કરતાં ભારતનો દેખાવ સારો રહ્યો છે.. ત્યારે આજે ઇડનગાર્ડન પર ખરાખરીનો જંગ જામશે.
