ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય ટીમની 66/5 સ્કોર સાથે ખરાબ શરૂઆત
Live TV
-
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત ગઈકાલે પૂર્ણ થઈ હતી. ત્યારે ત્રીજા દિવસની રમત દરમિયાન ભારતના બોલર અક્ષર પટેલે 5 અને રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ લઈને ન્યૂઝીલેન્ડની ટીમને 296 રનના સ્કોરમાં ઓલઆઉટ કરી દીધી હતી. ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમે બીજી ઈનિંગમાં ગઈકાલે એક વિકેટના નુકશાન સાથે 14 રન કરી, ન્યૂઝીલેન્ડની ટીમથી 63 રન આગળ હતા.
આજે ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય ટીમે 14/1 ના સ્કોરથી બેટિંગ શરૂ કરી હતી. જેમાં કેપ્ટન અજિંક્ય રહાણે અને વાઈસ કેપ્ટન ચેતેશ્વર પુજારા, મયંક અગ્રવાલ, શુભમન ગિલ અને રવિન્દ્ર જાડેજાએ પોતાની વિકેટ ગુમાવી દીધી છે. અત્યારે શ્રેયસ ઐય્યર અને રવિચંદ્રન અશ્વિન બેટિંગ કરી રહ્યા છે. ભારતની ટીમ હાલ 66/5 ના સ્કોર સાથે રમી રહી છે.
