ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડે 228 રન પર ગુમાવી 5 વિકેટ
Live TV
-
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે આજે ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડની ટીમ હાલમાં 5 વિકેટના નુકશાને 228 રને રમી રહી છે. હાલ ભારત તરફથી આર.અશ્વિન અને ઉમેશ યાદવે 1-1, જ્યારે અક્ષર પટેલે 3 વિકેટ ઝડપી છે. ન્યૂઝીલેન્ડ તરફથી ટોમ લેથમે 95 રન, જ્યારે વિલ યંગે 89 રન બનાવ્યા હતા.
ભારતની પ્રથમ ઈનિંગની વાત કરીએ તો ભારતીય ટિમ 345 રનમાં ઓલઆઉટ થઇ હતી. જેમાં પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમી રહેલા શ્રેયસ ઐય્યરે 105 રન ફટકાર્યા હતા. જ્યારે ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ સાઉથીએ પાંચ વિકેટ ઝડપી હતી.
