ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટી-ટ્વેન્ટી કાલે અમદાવાદમાં રમાશે
Live TV
-
પહેલી ફેબ્રુઆરીના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટી-20 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરુ થશે.
આ મેચને લઈને સ્ટેડિયમના સ્ટાફથી લઈને અમદાવાદ પોલીસ તંત્રએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ઓનલાઇન અને ઓફલાઈન મોડમાં મેચની ટિકિટ તેમજ પાર્કિંગ માટે પણ ઓનલાઇન બુકિંગની વ્યવસ્થા ઊભી કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે 27 જાન્યુઆરીથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 સિરીઝ શરુ થઈ હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ મેચમાં ભારતને 21 રને પરાજય આપ્યો હતો. તો બીજી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવી શ્રેણીમાં 1-1થી બરાબરી કરી હતી.
