ભારત-શ્રીલંકા વચ્ચે ત્રીજી અને અંતિમ વનડે મેચ આજે તિરુવનંતપુરમમાં
Live TV
-
તિરુવનંતપુરમમાં શ્રીલંકા-ભારતની ત્રીજી વન-ડે રમાવાની છે. મેચ પહેલાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ તિરુવનંતપુરમના પ્રખ્યાત શ્રી પદ્મનાભસ્વામી મંદિરે પહોંચ્યા હતા. જેમાં ટોપ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, બોલર યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરનો સામેલ હતા. તેમની સાથે બોલિંગ કોચ પારસ મ્હાબરે પણ મંદિરે પહોંચ્યા હતા.
શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં ઊભા રહીને ફોટોગ્રાફ્સ માટે પોઝ આપતા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનો ફોટો વાઈરલ થયો છે. તસવીરમાં મંદિરના પૂજારી સહિત ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ નજરે પડે છે. તો વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા શર્મા સાથે બીચ પર બ્રેકફાસ્ટ કરતો ફોટો શેર કર્યો છે. શ્રીલંકા સામેની સિરીઝમાં ભારત બે વનડે મેચ જીતીને 2-0થી આગળ છે. ત્રીજી વનડે રવિવારે બપોરે 1.30 વાગ્યે રમાશે.
