ભારત-શ્રીલંકા વચ્ચે થનાર ટી20 અને ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર
Live TV
-
વેસ્ટઇંડીઝ બાદ હવે શ્રીલંકાની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે છે. આજે ભારત-શ્રીલંકાની વચ્ચે થનાર ટી20 અને ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ છે. આ સીરિઝ માટે રોહિત શર્મા કેપ્ટનશિપ કરશે. શ્રીલંકા વિરુદ્ધ થનાર ટી20 સીરિઝ માટે વિરાટ કોહલી, ઋષભ પંત અને શાર્દુલ ઠાકુરને આરામ આપવામાં આવ્યો છે. શાર્દુલ ઠાકુરને ટેસ્ટમાં પણ આરામ આપવામાં આવ્યો છે.
ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયા: રોહિત શર્મા (કેપ્ટન), મયંક અગ્રવાલ, પ્રિયંક પંચાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, શુભમન ગિલ, ઋષભ પંત, કેએસ ભરત, રવિચંદ્રન અશ્વિન (ફિટનેસ પર નિર્ભર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, સૌરભ કુમાર
ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાઃ
રોહિત શર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યર, દીપક હુડા, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ, સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ. કુલદીપ યાદવ, આવેશ ખાનશ્રીલંકાનો ભારત પ્રવાસ
24 ફેબ્રુઆરી - 1લી T20, લખનઉ
26 ફેબ્રુઆરી - બીજી T20, ધર્મશાલા
27 ફેબ્રુઆરી - ત્રીજી T20, ધર્મશાલાપ્રથમ ટેસ્ટ, મોહાલી - 4થી 8 માર્ચ
બીજી ટેસ્ટ, બેંગલુરુ (ડે-નાઈટ) - 12 થી 16 માર્ચ
