BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી કોરોના સંક્રમિત, સારવાર માટે હોસ્પિટલમાં દાખલ
Live TV
-
BCCI અધ્યક્ષ અને પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી કોરોના સંક્રમિત થયા છે. કોરોનાના ઓમિક્રોનના વધતા સંકટ વચ્ચે આ સમાચાર ચિંતાજનક છે. ગઈકાલે મોડી રાત્રે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા છે છતાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
2021ની શરૂઆતમાં પણ સૌરવ ગાંગુલીને પણ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. જાન્યુઆરીમાં ગાંગુલીને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. એન્જિયોપ્લાસ્ટીના થોડા દિવસો બાદ પણ સૌરવની તબિયત બગડી હતી, ત્યારે પણ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
