ઉત્તરકાશી: શ્રમિકોનું રેસ્ક્યૂ, પ્રધાનમંત્રીએ શ્રમિકોના બચાવ કાર્યની કરી પ્રશંસા
ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લાની સિલ્ક્યારા સુરંગમાં ફસાયેલ 41 શ્રમિકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બચાવ કામગીરીની પ્રશંસા કરી હતી અને આ અંગે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ ટનલમાં ફસાયેલા શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા છે તે જાણીને મને ઘણી ખુશી થઇ છે. રેસ્ક્યુ અભિયાન દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. 17 દિવસથી શ્રમિકોએ પીડા સહન કરવી પડી. જે માનવ સહનશક્તિનું એક પ્રમાણ છે. આ સફળ ઓપરેશન બદલ તમામ ટીમ અને વિશેષજ્ઞોને અભિનંદન પાઠવુ છું. તેઓએ આ કપરા રેસ્ક્યૂ અભિયાનને પૂર્ણ કરવા અવિશ્વસનીય ધૈર્ય અને દ્રઢ સંકલ્પ સાથે કામ કર્યું છે.