પાંચ ટ્રીલીયન અર્થતંત્ર માટે સેવા ક્ષેત્રનો સિંહફાળો રહેશે- પિયુષ ગોયલ
Live TV
-
સેવા ક્ષેત્ર અંગેના વૈશ્વિક પ્રદર્શનનો આરંભ કરતા કેન્દ્રીય મંત્રીએ કર્યુ હતુ સંબોધન
કેન્દ્રીય વાણીજય તથા રેલ્વે મંત્રી પિયુષ ગોયલે જણાવ્યુ છે કે પાંચ ટ્રીલીયન અર્થતંત્ર માટે સેવા ક્ષેત્ર સૌથી મોટો ફાળો આપશે. નવી દિલ્હીમાં સેવા ક્ષેત્ર અંગેના વૈશ્વિક પ્રદર્શનનો આરંભ કરતા તેમણે જણાવ્યુ કે સેવાક્ષેત્ર અને ઉત્પાદન ક્ષેત્રને વધુ મજબૂત કરવાની જરૂર છે અને તેમાં ઘણી તક રહેલી છે. શ્રી ગોયલે કહ્યુ કે પ્રવાસન ઉદ્યોગ વિકસતા રોજગારીને તક મળેછે. તે દ્વારા સંપતિનુ સર્જન અને આર્થિક ગતિવિધિ તેજ બનેછે. તેમણે કહ્યુ કે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓપ યુનિટી હેઠળ વાર્ષિક એક લાખ કરોડ રૂપિયાની આવક ઊભીથાય તેવુ અનુમાન છે.