વિમુદ્રીકરણથી આવકવેરા અને પ્રત્યક્ષ કર સંગ્રહના પરીધને વધુ વધાર્યો: CBDT
Live TV
-
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, મીડિયામાં એવી ખબરો આવી રહી છે કે રોજગાર ઘટતા અને વિમુદ્રીકરણના પગલે નબળી અર્થવ્યવસ્થાના કારણે આવક ઘટવાથી આવક સંગ્રહમાં ઘટાડો થયો છે. આવા અહેવાલો સત્યથી વેગળા છે. સીબીડીટીએ કહ્યું કે, વિમુદ્રીકરણથી આવકવેરા અને પ્રત્યક્ષ કર સંગ્રહના પરીધને વધુ વધાર્યો છે. સીબીડીટી એ કહ્યું કે નાણાંકીય વર્ષ 2017-2018 દરમિયાન 6.87 કરોડનો આવકવેરાના રીટર્ન દાખલ થયા હતા. જ્યારે નાણાંકીય વર્ષ 2016-2017માં તે 5.48 કરોડ દાખલ કરાયા હતા. આ ઉપરાંત વર્ષ 2017-2018 દરમિયાન આવકવેરા રીટર્ન દાખલ કરનારની સંખ્યા વધીને 1.07 કરોડ થઈ હતી. તેમણે આવક ઘટવાની જાણકારી ખોટી છે અને તેની વિગત આવકવેરા વિભાગથી પ્રાપ્ત થઈ નથી.