હિન્દી ફિલ્મ જગતના મહાન કલાકાર શ્રી રામ લાગૂનું દેહાવસાન
Live TV
-
92 વર્ષની વયે સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ
70 અને 80 ના દાયકાની મોટી ફિલ્મોનો અગત્યનો હિસ્સો ગણાતા એવા અભિનેતા શ્રીરામ લાગૂનું લાંબી બિમારી બાદ ગત મોડી રાતે પૂણેની દિનાનાથ મંગેશકર હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 92 વર્ષના હતા. લાગૂ માત્ર બોલીવુડની ફિલ્મોમાં જ કામ કર્યું નથી, પરંતુ તે મરાઠી ફિલ્મોનો પણ એક ભાગ હતા.
અભિનેતા શ્રીરામ લાગૂના નિધનને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શોક પ્રગટ કર્યો હતો. નોંધનીય છે કે, લાગૂ મિતાભ બચ્ચનની પ્રખ્યાત ફિલ્મ મુકદદાર કા સિકંદરમાં જોવા મળ્યા હતા. આ સિવાય તેમણે હેરા ફેરી, ઘરૌંદા, મંઝિલ, થોડી સી બેવફાઈ, લાવારિસ, શ્રીમાન શ્રીમતી, વિધાતા, સદમા અને ઇંસાફ પુકાર જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.