નવસારી-વિજલપોર નગરપાલિકામાં 100 ટકા સ્ટાફે આપી હાજરી
Live TV
-
કોરોના સંક્રમણના કેસોમાં પ્રતિદિન ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને લીધે રાજય સરકાર દ્વારા આંશિક લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે, સાથે જ તમામ સરકારી કચેરીઓ કાર્યરત થઇ છે. નવસારી જિલ્લામાં પણ તમામ સરકારી કચેરીઓ સાથે નવસારી-વિજલપોર નગરપાલિકામાં 100 ટકા સ્ટાફે હાજરી આપી હતી. અને રાબેતા મુજબ કામગીરી કરી હતી. નવસારી પાલિકા કચેરીમાં જનસેવા, વોટર વર્કસ, ડ્રેનેજ વિભાગ, લાઈટ વિભાગ અને વેરા વિભાગ સહિત અન્ય વિભાગોમાં શહેરીજનો પોતાના પડતર કામોને લઇને આવ્યા હતા. જ્યારે પાલિકાના તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ પેન્ડિંગ કામોનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસમાં ઘટાડો થતા રાજ્ય સરકારે લોકડાઉનમાં રાહત આપી છે જેથી તમામ વિભાગના અધિકારીઓ કાર્યરત થયા છે.
