અંબાજી મંદિર હવે 11 જૂન સુધી રહેશે બંધ
Live TV
-
અંબાજી મંદિર આગામી 4 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોના સંક્રમણના કારણે અને ગૃહ વિભાગના આદેશ મુજબ અંબાજી મંદિર હવે 11 જૂન સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ગબ્બર મંદિર, અંબિકા વિશ્રામ ગૃહ, જગદ્દજનની પથિકાશ્રમ તથા અંબિકા ભોજનાલય પણ 11 જૂન સુધી બંધ રહેશે. પહેલા 4 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય હતો પરંતુ કોરોના સંક્રમણના કારણે સમય લંબાવાયો છે. મંદિરમાં ભટ્ટજી મહારાજ દ્વારા ત્રણ સમયની આરતી સહીત ધાર્મિક વિધિ રાબેતા મુજબ કરાશે.
