અમદાવાદના કાલુપરમાં એક જ રાત્રીમાં 21 દુકાનના તાળા તૂટયા
Live TV
-
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલ ચોખા બજાર માં રાત્રે 21 દુકાન અને ઓફિસના તાળા તૂટ્યા હતા. તસ્કરો અલગ અલગ દુકાનો અને ઓફિસમાંથી પૈસાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલ ચોખા બજાર માં રાત્રે 21 દુકાન અને ઓફિસના તાળા તૂટ્યા હતા. તસ્કરો અલગ અલગ દુકાનો અને ઓફિસમાંથી પૈસાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. ચોખા બજારમાં રાત્રિ દરમિયાન સિક્યોરિટી હોવા છતા દુકાન અને ઓફિસના તાળા તૂટતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા.ત્યારે આજે અમદાવાદક્રાઈમ બ્રાન્ચે આ મામલામાં 2 આરોપીની ધરપકડ કરી છે. હાકમ કાંઠાત અને એમ.બી.શિવા નામના બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ પ્લેનમાં બેસીને ચોરી કરવા આવતા હોવાનું બહાર આવ્યું છે. જુદા જુદા રાજ્યોમાં હવાઈ માર્ગે જતા અને ચોરીને અંજામ આપતા આ બંને શખ્સોએ કાલુપુરમાં ચોખાબજારમાં ચોરી કરવા માટે રેકી કરી હતી અને ત્યારબાદ આ ચોરીને અંજામ આયો હતો.
