અમદાવાદમાં વાતાવરણમાં આવ્યો પલટો, પવન સાથે ઠંડકનો અનુભવ
Live TV
-
અસહ્ય ગરમીયુક્ત ઉનાળો તથા અનિયમિત ચોમાસામાં ત્રાસી ગયેલા લોકો માટે શિયાળો એ એક રિફ્રેશ થવાની ઋતુ છે.
ગુજરાતમાં મુખ્યત્વે ડિસેમ્બર મહિનામાં શિયાળાની વિધિવત શરુઆત થતી હોય છે. ત્યારે છેલ્લા બે દિવસથી અમદાવાદના વાતાવરણમાં ઠંડક પ્રસરેલી અનુભવાઈ રહી છે. તેથી હવે આહલાદક શિયાળાની વિધિવત શરુઆત ટુંકજ સમયમાં થશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત પર મોટું વાદળ ઘેરાયેલું હતું, જેના લીધે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો હતો. જોકે હવે તે વાદળ હટી ગયું છે તેથી બે દિવસમાં ઠંડીનો ચમકારો અનુભવાશે અને શિયાળાની શરુઆત થશે.
