અમદાવાદમાં સાબરમતિ નદીના કાંઠે રૂ. ૧૧ કરોડના ખર્ચે નવનિર્મિત છઠ ઘાટનું કરાશે લાકાર્પણ
Live TV
-
નવનિર્મિત છઠ ઘાટનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
આજે રાજ્યભરમાં છઠ મહાપર્વની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત અમદાવાદની સાબરમતિ નદીના કાંઠે રૂ. ૧૧ કરોડના ખર્ચે નવનિર્મિત છઠ ઘાટનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. અમદાવાદના ઇન્દિરા બ્રિજ-હાંસોલ પાસે સાબરમતી નદીના તટે છઠ ઘાટ ખાતે પ્રવાસન વિભાગની સહાયથી અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ૩૦૦ મીટર લંબાઈનો છઠ ઘાટ બનાવાયો છે. ખાસ કરીને ગુજરાતમાં વસતા બિહાર, ઝારખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશના નાગરિકો-પરિવારો છઠ મહાપર્વની પરંપરાગત ઉજવણી સાથે મળીને કરે છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ દર વર્ષની જેમ આ વર્ષે આ છઠપર્વની ઉજવણીમાં ભાગ લેશે
